CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્રાચીનકાળથી જ્ઞાતિસંસ્થા ભારતીય સમાજની પાયાની વ્યવસ્થા છે. જ્ઞાતિવ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમના સિદ્વાંત પર નિયત્રિંત થાય છે. ખંડવિભાજનનો સિદ્વાંત હિન્દુ સમાજનું અસંખ્ય જૂથો અને પેટાજૂથોમાં વિભાજન સૂચવે છે, જ્યારે કોટિક્રમનો સિદ્વાંત જૂથ વિભાજનની ઊંચા અને નીચા ક્રમમાં ગોઠવણી સૂચવે છે.
જ્ઞાતિનાં લક્ષણો :
1. હિન્દુ સમાજનું જુદા કુદા ખંડોમાં વિભાજન :
જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને અનેક નાના નાના ખંડોમાં વિભાજિત કરે છે. પ્રત્યેક ખંડ અને જ્ઞાતિનો બનેલો છે. પ્રત્યેક જ્ઞાતિમાં પણ નાના પેટાવિભાગો જોવા મળે છે. પ્રત્યેક જ્ઞાતિ અલગ અને સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. દરેક જ્ઞાતિને પોતાનો અલગ સામાજિક દરજ્જો છે, જે જ્ઞાતિમાં વ્યક્તિનો જન્મ થાય તે જ્ઞાતિનું સભ્યપદ કે દરજ્જો બદલી શકતી નથી. જ્ઞાતિનો દરજ્જો અર્પિત દરજ્જો છે.
ઘણીખરી જ્ઞાતિઓને પોતાની આગવી, સ્વતંત્ર અને કાયમી પંચાયત હોય છે. જ્ઞાતિપંચાયત જ્ઞાતિનાં સામાજિક ધોરણો નક્કી કરે છે. જ્ઞાતિના સભ્યોની પરસ્પરની વર્તણૂક તથા અન્ય જ્ઞાતિઓ સાથેનો તેમનો સામાજિક વ્યવહાર નક્કી કરે છે.
જ્ઞાતિઓના રીતરિવાજો અને ધોરણોમાં તફાવત જોવા મળે છે. આથી, જ્ઞાતિઓ નાની હોવા છતાં અલગ અસ્તિત્વ અને આગવી સંસ્કૃતિ ધરાવે છે.
આમ, દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે.” એમ કહેવાય.
2. કોટિક્રમ :
જ્ઞાતિઓનો અસમાન સામાજિક દરજ્જાઓનો કોટિક્રમ મહત્વનું લક્ષણ છે. બધી જ્ઞાતિઓ અસમાન દરજ્જામાં હોવાના કારણે ચડ-ઊતરના ક્રમમાં ગોઠવાયેલી હોય છે. ધાર્મિક દ્વષ્ટિએ કોટિક્રમની આ વ્યવસ્થામાં બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય છે, પરંતુ અન્ય જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે. જ્ઞાતિઓના કિટિક્રમ માટે સભ્યોએ પોતે સ્વીકાર્ય ગણ્યો હોય તેવો સર્વમાન્ય સિદ્વાંત નથી.
આમ, જ્ઞાતિવ્યવસ્થામાં જ્ઞાતિઓના દરજ્જાઓની અસમાનતા અને કોટિક્રમ હોય છે, પરંતુ આ કોટિક્રમમાં કઈ જ્ઞાતિ કયા ચોક્કસ સ્થાને છે તે નક્કી કરવું મુશ્કેલ છે.
3. ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો :
ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધો શુદ્વિ-અશુદ્વિના ખ્યાલ પર રચાયેલા છે. પોતાનાથી નીચા દરજ્જાની જ્ઞાતિ સાથે ખાનપાન અને સામાજિક વ્યવહાર રાખવાથી પોતાની ધાર્મિક પવિત્રતા ઓછી થઈ જાય એવી માન્યતા જ્ઞાતિસમૂહોમાં વ્યાપક છે. આથી ભિન્ન ભિન્ન દરજ્જાવાળી જ્ઞાતિઓ વચ્ચે ખાનપાન અને અન્ય સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય અને કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેનાં અત્યંત ઝીણવટભર્યાં સામજિક ધોરણો દરેક જ્ઞાતિમાં છે. ખાનપાન અને સામાજિક વ્યવહાર અંગેના પ્રતિબંધોની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં, જુદી જુદી જ્ઞાતિઓના રિવાજોમાં ઘણા તફાવતો છે.
4. વિભિન્ન જ્ઞાતિઓની નાગરિક તથા ધાર્મિક અસમર્થતાઓ અને વિશેષાધિકારો :
ભારતની જ્ઞાતિઓમાં પ્રવર્તતા ચડિયાતાપણા અને ઊતરતાપણા તથા શુદ્વિ અને અશુદ્વિના ખ્યાલોએ નિમ્ન અને ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓમાં નાગરિક અને ધાર્મિક અધિકારોમાં અસમાનતા સર્જી છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ લોકવ્યવહારમાં અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વિમુખ હતા. જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતોમાં અનેક વિશેષાધિકારો ધરાવે છે. વસવાટ, પાણી મેળવવાનાં સ્થળોનો ઉપયોગ, જાહેર રસ્તાઓનો ઉપયોગ, શાળા અને મંદિરમાં પ્રવેશ વગેરે અનેક બાબતોમાં અસમર્થતાઓ અને વિશેષાધિકારો હતા. નાગરિક અને ધાર્મિક અસમાનતાઓ બંધારણ અને કાયદા દ્વારા નાબૂદ કરવામાં આવી છે, પરંતુ સામાજિક વ્યવહારમાં તે હજુ સંપૂર્ણ નાબૂદ થઈ નથી.
5. વ્યવસાયની પસંદગી પર અંકુશ :
જ્ઞાતિના વ્યવસાય વંશપરંપરાગત હતા. પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો નક્કી થયેલો વ્યવસાય કરવો તે તેની ફરજ ગણાતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળે તેવી પરંપરા હતી. પોતાની જ્ઞાતિ સિવાયનો અન્ય વ્યવસાય ફાયદાકારક હોય, તોપણ જ્ઞાતિનો વ્યવસાય છોડી અન્ય વ્યવસાય કરી શકાતો નહી. દરેક જ્ઞાતિ પોતાનો વ્યવસાય અન્ય જ્ઞાતિના સભ્યોને કરવાની છુટ આપતી નહી. આમ, વ્યવસાયની પસંદગીની બાબતમાં જ્ઞાતિનાં ધોરણોના અંકુશો રહેતા હતા. વેપાર, ખેતી, ખેતમજૂરી, લશ્કરની ધોરણોના અંકુશો રહેતાહતા. વેપાર, ખેતી, ખેતમજૂરી, લશકરની નોકરી વગેરે વ્યવસાયો કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ સ્વીકારી શકતી.
6. લગ્ન પરના પ્રતિબંધો :
અંતર્કગ્નપ્રથા જ્ઞાતિવ્યવસ્થાનું અગત્યનું લક્ષણ છે. પ્રત્યેક જ્ઞાતિના સભ્યો પોતાની જ્ઞાતિમાં કે પેટાજ્ઞાતિમાં લગ્ન કરી શકતા. અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવાની મનાઇ હતી. જ્ઞાતિના આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિને જ્ઞાતિમાંથી કાઢી મૂકવામાં આવતી હતી.