Chapter Chosen

સમાજશાસ્ત્રીય સંશોધન પદ્વતિઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પ્રશ્નાવલિ પ્રયુક્તિનો અર્થ સમજાઓ. 

મુલાકાત પ્રયુક્તિની મર્યાદાઓ જણાવો. 

મુલાકાત પ્રયુક્તિ અને પ્રશ્નાવલિ પ્રયુક્તિની તુલના કરો.

Advertisement
સામાજિક સર્વેક્ષણના હેતુઓ જણાવો.

સામાજિક સર્વેક્ષણનો હેતુ સામાજિક ક્ષેત્રની વિવિધ ઘટનાઓ અને બનાવોનું વિશાળ નિરીક્ષણ કરી માહિતી મેળવ્યા પછી તે અંગેની સમજ મેળવવાનો છે. વેપાર, રાજકારણ, શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં સામાજિક સર્વેક્ષણ દ્વારા સંશોધન કરવામાં આવે છે.

સામાજિક સર્વેક્ષણના હેતુઓ :

1 વર્ણનાત્મક હેતુ :

વર્ણનાત્મક હેતુથી કરવામાં આવેલા સર્વેક્ષણ જરૂરિયાતના પાયા પર રચાયેલા હોય છે. આ પ્રકારના સર્વેક્ષણનો હેતુ સમાજજીવનને લગતી કોઈ પણ બાબતની માહિતી એકત્રિત કરી, તેનું વર્ણન કરવાનો હોય છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘વર્ણનાત્મક સર્વેક્ષણ’ કહેવામાં આવે છે. આ પ્રકારના સર્વેક્ષણનો મુખ્ય હેતુ સમાજકલ્યાણ માટે રચનાત્મક કાર્યક્રમો રજૂ કરવાનો અને સર્વેક્ષણના આધારે યોગ્ય કાર્યવાહી કરવાનો હોય છે.

2 સૈદ્વાંતિક હેતુ :

સૈદ્વાંતિક હેતુથી કરવામાં આવેલા સર્વેક્ષણનો હેતુ વાસ્તવિક હકીકતોની સમજૂતી મેળવવાનો અને સામાજિક બાબતો અંગે સ્પષ્ટીકરણ કરવાનો હોય છે. આ પ્રકારના સર્વેક્ષણમાં સામાજિક સિદ્વાંતો દ્વારા સુચવવામાં આવેલી ધારણાઓને ચકાસવામાં આવે છે. આ ઉપરાંત કોઇ પણ ઘટનાઓ પર જુદાં જુદાં અનેક પરિબળોની અસર તપાસવામાં આવે છે. આ પ્રકારના સર્વેક્ષણને ‘વિશ્લેષણાત્મક સર્વેક્ષણ’ કહેવામાં આવે છે.

સામાજિક સર્વેક્ષણમાં વૈજ્ઞાનિક સંશોધનનાં સોપાનો મુજબ સમાજજીવનને લગતી માહિતી એકત્રિત કરવામાં આવે છે.


Advertisement
મુલાકાત પ્રયુક્તિના લાભ જણાવો. 

Advertisement