Chapter Chosen

સમાજશાસ્ત્ર પરિચય

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન : ટુંક નોંધ લખો. 

વ્યક્તિના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. મનોવિજ્ઞાનની એક શાખા સમાજલક્ષી મનોવિજ્ઞાન છે. તે સમાજમાં રહેતી વ્યક્તિના વર્તનનો, જુઠના સભ્ય તરીકે વ્યક્તિના વર્તનનો અથવા વ્યક્તિનો તેના જુથજીવન, જૂથનાં ધોરણો, મૂલ્યો ધ્યેયો વગેરેના સંદર્ભમાં અભ્યાસ કરે છે.

સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરી છે, તે જુદાં જુદાં જૂથોની રચના અને કાર્યો તપાસે છે. તે જુદાં જુદાં જુથો વચ્ચેના પારસ્પરિક સંબંધો અને સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે.

સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે, તે જુદાં જુદાં જૂથોની રચના અને કાર્યો તપાસે છે. તે જુદાં જુદાં જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધો અને સમાજમાં આવતું પરિવર્તન વગેરેનો અભ્યાસ કરે છે.

મનોવિજ્ઞાન વ્યક્તિના અભ્યાસ સાથે અને સમાજશાસ્ત્ર સમાજ કે જૂથના અભ્યાસ સાથે સંકળાયેલાં છે. આ દ્વષ્ટિએ બંને વિજ્ઞાનો વચ્ચે તફાવત છે, પરંતુ વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત હોવાથી તેનો અભ્યાસ કરતાં આ બંને શાસ્ત્રો એકબીજા સાથે સંબંધ ધરાવે છે.

મનોવિજ્ઞાન વ્યક્તિના વ્યક્તિત્વમાં સંગઠિત થયેલા વર્તનનો તેમજ વ્યક્તિના શારીરિક, માનસિક અને વ્યક્તિગત અનુભવોની સંયુક્ત અસર દ્વારા ઘડાયેલા વર્તનનો અભ્યાસ કરે છે.

જ્યારે સમાજશાસ્ત્ર સમાજમાં સંગઠિત થયેલા વર્તનનો તેમજ તેના જુથ, તેની સંસ્કૃતિ, તેની પરિસ્થિતિ અને તેના સામાજિક સંગઠનના વર્તનનો અભ્યાસ કરે છે.

આમ; વ્યક્તિ, સમાજ અને જુથનો અભ્યાસ કરતાં મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર આ બંને શાસ્ત્રો એકબીજાં સાથે સંકળાયેલાં છે.

સમાજશાસ્ત્ર વ્યક્તિના અભ્યાસ અંગેની માહિતી મનોવિજ્ઞાન પાસેથી મેળવે છે, જ્યારે મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને યથાર્થ રીતે સમજવા જુથની માહિતી સમાજશાસ્ત્ર પાસેથી મેળવે છે.

આમ, સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં ગાઢ રીતે સંકળાયેલાં છે.

લોકમત, વલણો, ટોળું વગેરેનો સમાન અભ્યાસપ્રશ્નોમાં બંને શાસ્ત્રો વચ્ચે કોઈ તફાવત નથી. સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર જુથ છે, જ્યારે મનોવિજ્ઞાનના અભ્યાસનું કેન્દ્ર વ્યક્તિ છે.


Advertisement
ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ :  ટુંકનોંધ લખો. 

સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી, સમાજશાસ્ત્રના ઉદભવ વિશે નોંધ લખો.

સમાજશાસ્ત્રનું વિષયવસ્તુ સમજાવો. 

ઇમાઇલ દુર્ખિમ અને મેક્સવેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો. 

Advertisement