CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
1. પૃથ્વિની સપાટી ઉપર કુદરતી તથા માનવસર્જિત તત્વો આવેલા છે. આ બધાં તત્વો વિશે આંકડાકીય માહિતી મેળવી શકાય છે.
2. આકંડાકીય માહિતી ગુણાત્મક અથવા માત્રાત્મક હોઈ શકે છે.
3. આંકડાકીય માહિતી બે રીતે મેળવી શકાય છે.
I. કોઈ પણ પ્રદેશમાં પ્રત્યક્ષ જઈને પૃથ્વી સપાટી ઉપરનાં બધા તત્વોનાં વિતરણની જાત માહિતી એકઠી કરવામાં આવે છે અથવા વ્યક્તિઓનો પ્રત્યક્ષ સંપર્ક કરીને, તેમને પૂછીને જે જરૂરી માહિતી એકઠી કરવામાં આવી હોય તેવી માહિતીને ‘પ્રાથમિક આંકડાકીય માહિતી’ કહેવામાં આવે છે.
II. અભ્યાસ હાથ ધરનાર વ્યક્તિ ક્યારેક અન્ય કોઇ દ્વારા તૈયાર કરવામા આવેલી માહિતીનો પોતાના સંશોધનકાર્ય માટે ઉપયોગ કરે છે. આ અન્ય સ્ત્રોતમાંથી મેળવાયેલી માહીતીને ‘દ્વિતિયક માહિતી કહેવામાં આવે છે. વસ્તી ગણતરીના આંકડા જે સરકાર દ્વારા પ્રકશીત થાય છે તે અન્ય દ્વિતિયક માહિતી બને છે.
4. ક્ષેત્રકાર્ય અને પ્રષ્નાવલી દ્વારા પ્રાથમિક માહિતી એકત્રીત કરી શકાય છે.