CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એકત્ર કરવામાં આવેલા આંકડાનું વિષ્લેષણ બે તબક્કામાં કરવામાં આવે છે.
1. માહિતી એકત્રીકરણ 2. માહિતીનું વર્ગીકરણ
1. આંકડાકીય માહિતી એકત્ર કરતી વખતે શક્ય હોય તેટલી વધુ ચોકસાઈ રાખવી જોઈએ. ઓછી ચોકસાઈથી
મેળવેલા આંકડા ખોટુ પરિણામ ઉપસાવે છે.
2. પ્રાપ્ત થયેલા આંકડાનું પ્રથમ સંપાદન કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું વર્ગીકરણ કરવામાં આવે છે.
3. વર્ગીકરણ કરતી વખતે સમય ગાળો, પ્રાદેશિકતા, ગુણવત્તા, વ્યાપકતા વગેરે મુદ્દાઓનો સાધાર લેવામાં આવે છે,
4. પ્રાપ્ત આંકડા તેમના અંતિમ સ્વરુપમાં પ્રસ્તુત કરવાં આવે છે. આંકડાનું પ્રસ્તુતિકરણ વિવિધ સ્વરૂપે કરવામાં આવે છે.
5. મધ્યવર્તી સ્થિતિઓ, સહસંબંધ અને નિયતસંબંધ, સૂચક આંક વગેરે અનેક આંકડાશાસ્ત્રીય પદ્વતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
6. એકત્ર કરવામાં આવેલી માહિતીને પ્રથમ જુદીજુદી સારવણીઓમાં ગોઠવવામાં આવે છે. ત્યાર પછી આકડાશાસ્ત્રીય પદ્વતિઓની મદદથી તેમણું વિશ્લેષણ કરવામાં આવે છે.
7. વિવિધ હેતુઓ માટે મહિતી એકત્રીત કરવામાં આવે છે. એકત્રિત કરવમાં આવેલી માહિતીનો યોગ્ય ઉપયોગ થઈ શકે તેમાટે તે આંકડાકીય માહિતીને પહેલાં યોગ્ય સ્વરૂપમાં ફેરવવી પડે છે. આ ક્રિયાને ‘સારણીકરણ’ કહેવામાં આવે છે. તે માટે જરૂરી ખાનાવાળા કોઠા તૈયાર કરવામાં આવે છે. તૈયાર થયેલા આવા કોઠાને ‘સારણી’ કહેવામાં આવે છે. તેમાં આંકડાકીય માહિતી હોય છે.
8. આંકડાકીય માહિતીને યોગ્ય ખાનામાં મૂકવાથી બધી વિગતોનો સર્વગ્રાહી ખ્યાલ મેળવવામાં સરળતા પડે છે. તેને આધારે વિવિધ વિગતોની તુલના પણ કરી શકાય છે.
9. ત્યારપછીના તબક્કામાં આ આકડાને વિવિધ પદ્વતિઓ દ્વ્રારા દર્શાવવામાં આવે છે. આલેખ તૈયાર કરવાથી અંકડાનું અર્થઘટન કરવામાં સરળતા થાય છે.