સંસાધનોના માનવજાત માટે વિવિધ ઉપયોગો ઉદાહરણ સહીત સમજાવો.
પૃથ્વી પરથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા તમામ કુદરતી પદાર્થોને 'કુદરતી સંસાધનો' કહે છે. તેમાં રેતી સુક્ષ્મકણો, ખડકો, ખનીજો, ભૂમિ, પાણી, ભૂમિ સ્વરૂપો, વનસ્પતિ પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે.
સંસાધનોના ત્રણ પ્રકાર છે :
1. જળ સંસાધન
2. ભુમિ અને સંસાધનો
3. ખનીજો.
કુદરતી સંસાધનોની ઉપયોગીતા :
1. જીવનસૃષ્ટી માટે પાણી અનિવાર્ય છે. ખેતી ઉપરાંત ગૃહવપરાશ, ઉદ્યોગો, બાંધકામ વગેરે માટે પાણી જરુરી છે.
2. નદીઓ ઉપર બંધો બાંધી પાણીનો સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. સિંચાઈને કારણે ખેત પેદાશોનુ પ્રમાણ વધે છે.
3. સમુદ્વ્ર જળમાંથી મીઠું બનાવવામાં આવે છે.
4. સમુદ્વ્રમાં વિપુલ પ્રમાણમાં ખનીજોનો ભંડાર છે. મૂંબઈ હાઈ ક્ષેત્રમાંથી ખનીજ તેલ પ્રપ્ત થાય છે.
5. સમુદ્વના કારણે મત્સ્યઉદ્યોગ વિકસે છે. ભરતીના જળમાંથી વિદ્યુત પેદા કરી શકાય છે. સાગર, મહાસાગરો સૌથી સસ્તા જળ માર્ગો પૂરા પાડે છે. તેથી દેશના વ્યાપાર, વાણિજ્યનો સારો વિકાસ થયો છે.
6. જમીનનો સૌથી વધુ ઉપયોગ ખેતી માટે થાય છે. માનવી ભૂમિનો ઉપયોગ રહેઠાણ, પરિવહન માર્ગો, ઉદ્યોગો, ઉપવનો, જળાશયો વગેરે બનાવવા માટે કરે છે.
7. મેદાનો ખેતી, માર્ગ પરિવહન અને વસાહતો માટે ઉપયોગી છે.
8. પાલતુ પ્રાણીઓ દૂધ, માંસ અને ચામડું પૂરુ પાડે છે. ચામડાને કારણે ચર્મ ઉદ્યોગ વિકસે છે. બળદ, પાડા, ઊંટ અને ઘોડા ખેતી કામમાં ઊપયોગી છે. પ્રાણીઓના હાડકામાંથી રાસાયણીક ખાતર બને છે.
9. ભૂમિ પર આવેલા જંગલો અનેક પેદાશો પૂરી પાડે છે. જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે અને હવાનું પ્રદુષણ અટકાવે છે. રબર, દીવાસળી, ફર્નિચર, કાગળ વગેરે ઉદ્યોગો માટે જંગલો ખાતર બને છે.
10. પૃથ્વિના પેટાળમાંથી મળતી ખનીજો અનેક રીતે ઉપયોગી છે. ખનીજોના કારણે જુદા જુદા ઉદ્યોગોનો વિકાસ થાય છે. ખનીજ તેલના કારણે પરિવહનનાં સાધનોને ઊર્જા પ્રાપ્ત થાય છે. ખનીજ તેલની આડ પેદાશોના કારણે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. ખનીજ કોલસો ઊર્જાના મુખ્ય સ્ત્રોત છે. યંત્ર સામગ્રી, સડકો, પુલો, મકાનો, ઉદ્યોગો, ઘરવપરાશની ચીજો વગેરેના નિર્માણ કાર્ય માટે ખનીજો ખુબ જ ઉપયોગી છે.