સિંચાઈ એટલે શું ? સિંચાઈના વિવિધ પ્રકારો જણાવો.
જીવસૃષ્ટી માટે પાણી અનિવાર્ય છે. કૃષિ માટે સિંચાઈની સગવડ જરૂરી છે. કેટલાક પ્રદેશો એવા છે કે જ્યાં ખેતી પ્રવૃત્તિ આખું વર્ષ કરી શકાય તેવું વાતાવરણ હોય છે, પણ વરસાદના અભાવે ખેતી થઈ શકતી નથી. આવા વિસ્તારોમાં સપાટીનાં તથા ભૂમિગત જળસ્ત્રોતોનો ઉપયોગ કરીને ખેતી થાય છે. ખેતીના પાકોને કૃત્રિમ ઉપાયો દ્વારા પાણી પૂરું પાડવાની પદ્વતિને 'સિંચાઈ' કહેવામા આવે છે. ભારતમાં વરસાદ પણ અનિશ્ચિત છે. અમુકવાર વરસાદ ચોમાસામાં લાંબા સમય સુધી આવતો નથી. તેથી ખેડુતો સમયસર પાકની વાવણી પણ કરી શકતા નથી. ઘણીવાર વરસાદ એક વાર આવ્યા પછી લાંબાસમય સુધી આવતો નથી. આવા સમયે ખેતી બચાવવા માટે સિંચાઈ ખુબ જ મદદ રૂપ થાય છે. વર્ષમા એક કરતા વધારે વાર ખેતીના પાક મેળવવા માટે સિંચાઈ અવશ્યક છે. સિંચાઈનો આધાર જળસંપત્તિના વિવિધ સ્ત્રોતો પર છે.