CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંસાધન એટલે શુ ? તેના પ્રકારો જણાવો.
જીવનસૃષ્ટિ માટે જીવન જેવું પાણી ત્રણ રીતે પ્રાપ્ત થાય છે : 1. વૃષ્ટિ જળ, 2. સપાટી જળ દ્વારા અને 3. ભૂમિગત જળ દ્વારા
1. વૃષ્ટિ જળ : વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વિ સપાટીને પાણી મળે છે. વધુ વરસાદ અને હિમવર્ષા થતિ હોય તેવાં ક્ષેત્રોમાં પાણીનો જથ્થો વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. રણ અથવા અર્ધરણ વિસ્તારોમાં અનાવૃષ્ટિને કારણે ઓછુ પાણી મળે છે. ભારતના પુર્વોત્તર રાજ્યોમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં સમાન્ય કરતા વધુ પ્રમાણમાં વરસાદ પડે છે. તેથી ત્યાં પાણીની પ્રાપ્યતા સૌથી વધુ પ્રમાણમાં છે. પશ્ચિમ ગુજરાત તથા રાજસ્થાનમાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું છે, તેથી ત્યાં પાણીની પ્રાપ્યતા ઓછી છે.
2. સપાટી જળ : ભારતમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, નર્મદા, તાપી, ગોદાવરી, સતલુજ, કાવેરી વગેરે મોટી નદીઓ છે આ નદીઓ દેશના સપાટી જળસંસાધનનું ઘણું મહત્વનું અને વ્યાપક સ્વરૂપ છે. તળાવો, સરોવરો અને ઝરણાં સ્વરૂપે પણ સપાટી જળ મળે છે.
ઉત્તર પ્રદેશ , હિમાચલ પ્રદેશ, જમ્મું કાશ્મીર વગેરે રાજ્યોમાં વરસાદ ઉપરાંત હિમવર્ષા પણ થાય છે. તેથી આ રાજ્યોમાં સપાટી જળ વધુ સુલભ બની રહે છે. ભારતની વધુ પ્રમાણમાં જળ જથ્થો ધરાવતી નદીઓ ઉપર બંધ બાંધવામાં આવ્યા છે. તેને લીધે વિશાળ કૃત્રિમ જળાશયો તૈયાર થયા છે. ગોવિંદસાગર, સરદાર સરોવર, નિઝામ સાગર, નાગાર્જુન સાગર વગેરે કૃત્રિમ જળાશયો છે. આ સરોવરમાંથી નહેરો કાઢી દૂરના ઘણા બધા વિસ્તારો સુધી પાણી પહોચાડી શકાય છે. આ બધી નહેરો દ્વારા લાખો હેક્ટર ભૂમિને સિંચાઈનો લાભ મળે છે.
દેશની પશ્ચિમે અરબ સાગર, પૂર્વમાં બંગાળની ખાડી અને દક્ષિણે હિંદ મહાસાગર છે. તેથી અહીં સમુદ્વ્ર જળની પ્રાપ્તિ પણ સુલભ બની છે.