Chapter Chosen

રોજિંદા જીવનમાં રાસાયણિક

Book Chosen

રસાયણ વિજ્ઞાન ધોરણ 12 સેમિસ્ટર 4

Subject Chosen

રસાયણ વિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
રાસાયણચિકિત્સાના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
  • ઍલેકઝાન્ડર ફ્લેમિંગ
  • હાવર્ડ ફ્લોર

  • પૌલ એહરલિચ

  • અર્નસ્ટ બોરિસ ચેઈન


Advertisement
સાબુનીકરણ એટલે શું ? તેનું રાસાયણિક સમીકરણ લખો. નાહવાનાસાબુ, ધોવાના સાબુ અને ઔષધિયુક્ત સાબુની બનાવટ દરમિયાન કયા વિશેષ પદાર્થો ઉમેરવામાં આવે છે તે જણાવો.

સાબુ ફૅટી ઍસિડ(સ્ટિયરિક ઍસિડ, ઑલિક ઍસિડ, પામેટિક ઍસિડ) નો સોડિયમ કે પોટૅશિયમ ક્ષાર છે. વનસ્પતિ તેલ કે પ્રાણિજ ચરબી, કે ફૅટી ઍસિડના ગ્લિસરાઇલ એસ્ટર છે, તેને સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કે પોતૅશિયમ હાઇડ્રૉક્સાઇડના જલીય દ્વાવણ સાથે ગરમ કરતાં ફૅટી ઍસિડનો સિડિયમ ક્ષાર અને ગ્લિસરોલ છે. સાબુ બનવાની આ પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે.

રાસાયણિક સમીકરણ :



રોજિંદા જીવનમાં આપણને અનેક પ્રકારના સાબુ જોવા મળે છે. જેમ કે નાહવાનો સાબુ, ધોવાનો સાબુ, દાઢી કરવા માટેનો સાબુ, ઔષધિયુક્ત સાબુ વગેરે. આ પ્રકારના સાબુની બનાવટ દરમિયાન મૂળપ્રક્રિયકો ઉપરાંત ચોક્કસ પ્રકારના પદાર્થો કે રસાયણો ઉમેરવામાં આવે છે.

નાહવાનો સાબુ બનાવવા માટે ઉત્તમ ગુણવત્તાવાળું તેલ કે ચરબી અને આલ્કલી તરીકે હાઇડ્રૉક્સાઇડ વાપરવામાં આવે છે. કારણ કે તે સોડિયમ સાબુની સાપેક્ષમાં મૃદુ તથા ચામડીને સુંવાળી બનાવે છે. નાહવાના સાબુની બનાવત દરમિયાન વધારાના આલ્કલીને દૂર કરવાની ખાસ કાળજી રાખવામાં આવે છે. ઉપરાંત જરુરી રંગ અને સુગંધી પદાર્થો પણ ઉમેરવામાં આવે છે.

દાઢી કરવાના સાબુની બનાવટ દરમિયાન ગ્લિસરોલ ઉમેરવામાં આવે છે, જેથી તેનાથી બનતું ફીણ ઝડપી સુકાઇ જતું નથી. આ ઉપરાંત તેમાં રોઝિન ઉમેરવામાં આવે છે, જે વધુ ફીણ ઉત્પન્ન કરનાર સોડિયમ રોઝિનેટ બનાવે છે.

ઔષધિયુક્ત સાબુ બનાવવા માટે તેમાં ડિઓડરન્ટસ ઉમેરવામાં આવે છે. જે પરસેવાના કારણે શરીરમાંથી આવતી દુર્ગંધને અટકાવે છે.

નાહવાના સાબુની ગુણવત્તા તેમાં રહેલ TFM ના આધારે નક્કી કરવામાં આવે છે. સાબુમાઅં TFM નું પ્રમાણ વધુ તેમ તે સાબુની ગુણવત્તા સારી કહેવાય છે. બહુ જ ઓછા TFM વાળા સાબુ શરીરની ચામડીને શુષ્ક બનાવી બળતરા ઉત્પન્ન કરે છે. BIS એ નાહવાના સાબુની ગુણવત્તા માટે TFM નાં મૂલ્યો નક્કી કર્યાં છે, તે મુજબ 76% કે તેથી વધુ TFM ધરાવતા સાબુને ગ્રેડ-1, 65% કે તેથી વધુ પણ 76 % થી ઓછા TFM ધરાવતા સાબુને ગ્રેડ-2 અને 60% કે તેથી વધુ પણ 65% થી ઓછા TFM ધરાવતા સાબુને ગ્રેડ-3 આપવામાં આવે છે.

નાહવાના દરેક સાબુ પર TFM નું ટકાવાર પ્રમાણ અથવા તેનો ગ્રેડ દર્શાવવો ફરજિયાત હોવાથી મોટા ભાગના નાહવાના સાબુ પર આ મૂલ્ય દર્શાવેલ હોય છે.

સાબુની મર્યાદા :

સાબુ ઍસિડિક માધ્યમમાં મુક્ત ફૅટી ઍસિડમાં ફેરવાય છે. આ ફૅટી ઍસિડ પાણીમાં અદ્વાવ્ય હોય છે. આ ફૅટી ઍસિડ સફાઇકર્તા તરીકે વર્તતા નથી.

સાબુ કઠિન પાની સાથે ફીણ ઉત્પન્ન કરતા નથી, કારણ કે તે કઠિન પાણીમાં રહેલા કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ આયન સાથે પ્રક્રિયા કરીને પાણીમાં અદ્વાવ્ય ફૅટી ઍસિડના કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ ક્ષાર બનાવે છે. આમ, કઠિન પાણી સાથે સાબુનો ઉપયોગ કરતાં સાબુનો વ્યય થાય છે અને સફાઇને હેતું સિદ્વ થતો નથી.

Advertisement
ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવતા પદાર્થ પરિરક્ષકો અને ઍન્ટિઑક્સિડન્ટસ વિશે ચર્ચા કરો.

ઘા કે જખમને નુકસાન પહોંચાડનાર સૂક્ષ્મ જીવોનો નાશ કરનાર કે તેની વૃદ્વિ અટકાવનાર ઔષધોને શું કહે છે ?
  • પ્રશાંતકો

  • પ્રતિજીવીઓ

  • જીવાણુનાશી

  • સંક્રમણહારકો


નીચેનાં પૈકી કયું વિધાન સાચું છે ?
  • જે ઔષધ સંદેશાવાહકને સ્થાને ગ્રાહી પદાર્થ સાથે જોડાઇને કોષની પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • જે ઔષધને ગ્રાહી પદાર્થ કુદરતી સંદેશાવાહક સમજી સ્વીકારે છે અને પ્રત્યાયન ક્રિયાને રોકે છે, તેને એગોનિસ્ટ કહે છે.

  • ઔષધો ઉત્સેચકના સક્રિયસ્થાનને બદલે જુદા સ્થાને જોડાય છે, તે સ્થાનને ઍલોસ્ટેરિક સાઇટ કહે છે.

  • પ્રક્રિયાર્થીને ઉત્સેચકના સક્રિયસ્થાઅને જોડનાર ઔષધોને ઉત્સેચક નિરોધક કહે છે.


Advertisement