બીજી ગોળમેજી પરિષદ શા માટે નિષ્ફળ ગઈ ?
ઇ.સ. 1931 માં ઈંગ્લૅન્ડના લંડન શહેરમાં ગોળમેજી પરિષદ યોજાઈ. આ પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ગાંધીજી હાજર રહ્યાં અને પરિષદમાં બંધારનના ઘડતરની ચર્ચા કરતી વખતે જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ પોતે પોતાની કોમ માટે અલગ મતદાર મંડળોની માગણી કરી. આ માગણીથી ગા6ધીજી નિરાશ થયા કારણ કે, તેનાથી ભારત અનેક ટુકડાઓમાં વહેંચાઈ જતું હતું. આ પરિષદમાં ગાંધીજી જુદી જુદી કોમના નેતાઓ વચ્ચે મતદાંત મંડળો અને પ્રતિનિધિત્વ્ના પ્રશ્ન અંગે સમજૂતી સાધી શક્યા નહી. આમ, કોમી પ્રશ્નનો ઉકેલ ન આવતાં બીજી ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઈ. ગાંધીજી નિરાશ હ્રદયે ભારત પાછા ફર્યા.