યુનોની સ્થાપના કયા સંજોગોમાં થઈ ?
ઇ.સ. 1939થી 1945 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્વમાં અણુબૉમ્બનો ઉપયોગ થયો હતો. તેથી આ યુદ્વ અગાઉનાં બધાં યુદ્વો કરતાં વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. આ યુદ્વમાં લાખો નિર્દોષ વ્યક્તિઓનાં મરણ થયાં હતા અને અબજો રૂપિયાની મિલકતો નાશ પામી હતી. હવે પછી જગતના અગ્રણી નેતાઓ વિશ્વને યુદ્વના ભયમાંથી મુક્ત કરવા કટિબદ્વ થયા. યૂ.એસ.એ ના રાષ્ટ્રપ્રમુખ એફ. ડી. રુઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વસંસ્થા રચવાની યોજના તૈયાર થઈ. ઇ.સ. 1945માં યુ.એસ.એ. ના સૅન ફ્રૅન્સિસ્કો શહેરમાં ભરાયેલી મિત્રરાજ્યોનાં 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની એક પરિષદમાં યોનો (સંયુક્ત રાષ્ટ્રસંઘ)ની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા 'સંયુક્ત રાષ્ટ્રો' ના નામથી ઓળખાતી થઈ.