સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમાં ભારતનો શો ફાળો છે ?
વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય ભાગ છે. તેથી સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમા ભારતે હંમેશા6 સહકાર આપ્યો છે :
(1) કોરિયાના યુદ્વમાં ઘવાયેલા સૈનિકોની સારવાંર માટે ભારતે દવાઓ અને તબીબી ટુકડીઓ મિકલી હતી.
(2) કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલા પ6ચના અધ્યક્ષની કામગીરી ભારતે બજાવી હતી.
(3) ગાઝા, સાયપ્રસ અને કૉંગોમાં સર્જાયેલી કટોકતી વખતે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે પોતાના સૈનિકોની ટુકડીઓ મોકલી હતી.
(4) નામિબિયા, કમ્બોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
(5) સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ સંયુક્ત રાષ્ટ્રોને આપ્યો છે. આમ, સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમાં ભારતનો ફાળો ગનનાપાત્ર છે.