CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ત્સુનામી’ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. ‘ત્સુ’ એટલે બંદર અને ‘નામી’ એટલે મોજાં.
સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ અવવાથી અથવા સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્ખલન થવાથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધરાણ લંબાઈનાં વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે. તેને ‘ત્સુનામી’ કહેવાય છે.
ઘણું કરીને ત્સુનામીની ઉત્પત્તિ પેટાળમાં થતાં ભુકંપ દ્વારા થાય છે. તેથી ત્સુનામીની ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે.
સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપકેન્દ્રની નજીક ત્સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજાં કિનારા પાસે પહોંચતાં ત્સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજાં કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. તેથી ત્સુનામીની ભૂકંપીય સાગરમોજા તરીકે પણ ઓળખાય છે.
સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપકેન્દ્રની નજીક ત્સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજા કિનારા પાસે પહોંચતા ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતા ત્સુનામી મોજાં ક્યારેક 30 મીટર જેટલાં ઉંચાં બની જાય છે.
ત્સુનામી મોજાં સમુદ્રકિનારા તરફ એક પછી એક હારબંધ આવતાં રહે છે. સમુદ્રના છિછરા ક્ષેત્રમાંથી પસાર થતાં તે મહાવિનાશક બને છે.
તેની ઝડપ કિનારા પાસે ઓછી તથા ઉંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં ત્સુનામી મોજાં પાણીની એક ઊંચી દિવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે.
26 ડિસેમ્બર, 2004 ના રોજ ભારતે અને 11 માર્ચ, 2001ના રોજ જાપાને ત્સુનામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો છે.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે ?
પૂર
હુલ્લડ