CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની ભૃપુષ્ઠ રચનાથી સ્પષ્ટ થાય છે કે પ્રારંભમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. એ પછી તેના પ્રવાહમાર્ગમાં તેને નાની-મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. એ નદીઓને મુખ્ય નદીની શાખા નદીઓ કહેવામાં આવે છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણપ્રદેશને મળે છે. આ રીતે એક નદીતંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્ર-વિસ્તારમાંથી પસાર થાય છે, તેને ‘નદીનું બેસીન ક્ષેત્ર’ કહેવાય છે.
આમ, એક મોટી નદી અને તેની શાખા-પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામુહિક તંત્ર ‘જળપરિવાહ પ્રણાલી’ કહેવાય છે. જળપરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા નદીઓની ગોઠવણી જુદા જુદા પ્રકારની હોય છે.
જે કોઈ પર્વતધારા કે ઉચ્ચભૂમિ વડે બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતઘાર કે ઉચ્ચભૂમિને 'જળવિભાજક' કહેવામાં આવે છે.
“ગોદાવરીને ‘દક્ષિણની ગંગા’ કહે છે” કારણ આપો.