CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ?
બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે ઉલ્લેખ કર્યો છે. ભારત સંઘીય રાજ્ય છે.
ભારતમાં સંઘ અને રાજ્યો વચ્ચે કાયમી સંબંધોની લિખિત સ્વરૂપમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે રાજ્યોને સંઘથી અલગ થવાનો અધિકાર નથી.
રાજ્યસરકારો કરતાં સંઘસરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવેલ છે.
સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓને સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.
બંધારણે રાષ્ટ્રીય હિતને સર્વોપરી ગણવામાં આવ્યું છે.
દેશમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે.
કાયદા ઘડવા માટેની સંઘયાદીમાં સૌથી વધારે વિષયોનો અને રાષ્ટ્રીય કક્ષાના મહત્વના વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યસરકારોની સરખામણીમાં સંઘસરકરને શક્તિશાળી બનાવવા માટે બંધારણે સંયુક્ત યાદીમાં સંઘસરકારને વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપી છે.
કાયદા ઘડવાના વિષયોની ત્રણ યાદીઓમાંથી કોઈ પણ યાદીમાં ન આવતા હોય, તે અંગેના કાયદા ઘડવાની શેષ સત્તા માત્ર સંઘસરકરને જ આપવામાં આવી છે.
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકિય સાધનો પણ વહેંચવામાં આવ્યાં છે. સંઘસરકાર રાજ્યસરકારોને ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાય આપે છે.
ભારતના નાગરિકો એકમ રાજ્યોની નહિ પણ સંઘની જ નાગરિકતા ધરાવે છે. જમ્મુ-કશ્મીર રાજ્ય સિવાય ભારતમાં નાગરિકોને માત્ર એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે.
કટોકટી સમયે દેશનું બંધારણ સમવાયીતંત્રી મટી એકતંત્રી બનાવી શકાય એવી જોગવાઈ કરવામાં આવી છે.