CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય ?
બંધારણમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રથિત, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવી છે. ભારતીય સમવાયતંત્ર કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત છે, જેનું સ્થાન સૌથી ઊંચું છે. ત્યારપછી અનુક્રમે રાજ્યોની વડી આદાલતો, જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતોનું સ્થાન છે. આમ, આપણા દેશમાં સળંગ એકસુત્રી ન્યાયતંત્ર છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે. સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાનાં અર્થઘટનો અંગે સર્જાય તો તેનો ઉકેલ લાવવાની સત્તા સર્વોચ્ચ અદાલત ધરાવે છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતો પર નિયંત્રણ, દેખરેખ અને માર્ગદર્શનનો અધિકાર ધરાવે છે. ભારતનું ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. આથી જ સમવાયીતંત્રી ભારતમાં સર્વોચ્ચ અદાલતને ‘બંધારણની રક્ષક અને વાલી’ ગણવામાં આવે છે.