Chapter Chosen

ભારતની રાષ્ટ્રીય ચળવળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ઉગ્રક્રાંતિકારી ચળવળનો ઉદ્દભવ અને વિકાસ વર્ણવો. 

બંગભંગ આંદોલન, ઈ.સ. 1907માં સુરતમાં ભરાયેલ કૉંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કૉંગ્રેસના ‘જહાલ’ અને ‘મવાળ’ એમ બે ભાગલા કૉંગ્રેસની માત્ર ઠરાવો. વિનંતિઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્દભવી.

લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિંચંદ્ર પાલ-લાલ-બાલ-પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કૉંગ્રેસ સહિત હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી.

લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે, ‘સ્વરાજ્ય મારો જન્મ સિદ્ધ હક છે અને હું તેને લઈને જંપીશ.’ તેમનું આ વચન આઝાદીના ક્રંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયો.

ઉદારવાદી અને ઉગ્રવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારેઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે અને કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે આઝાદ કરવા ઈચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસતે મુખે બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની પણ તમન્ના ધરાવતા હતા.

ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજા, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી ‘મિત્રમેળા સોસાયટી’, ‘અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’, ‘અંજુમન એ મુલ્લાને વતન’, ‘ઈન્ડિયન પેટ્રિઓટ્સ ઍસોસિયેશન’ વગેરે સંસ્થાઓ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓન પ્રથમ તબક્કામાં ‘સંધ્યા’ ‘યુગાંતર’ ‘નવશક્તિ’, ‘વંદે માતરમ’ ‘કેસરી’, ‘મરાઠા’ વગેરે વર્તમાનપત્રો અને સમાયિકોએ સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલી કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્લીમાં વાઈસરોય હાર્ડિગ્ઝ પર અને 13 નવેંબર, 1909ના રોજ અમદાવાદમાં વઈસરોઈ મિંટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા.

ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈ.સ. 1920થી 1942ના દ્વિતિય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવોમાં ‘ક્રાંકોરી લૂંટ કેસ’, ‘લાહોર હત્યાકાંડ’ અને દિલ્લીમાં કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી.


Advertisement
ટુંકનોંધ લખો.
વિદેશોમાં ક્રંતિકારી ચળવળ 

ટુંકનોંધ લખો. 
રૉલેટ ઍક્ટ 


બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. 


અસહકારના આંદોલન કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો. 

Advertisement