CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાંં ઈંગ્લૅન્ડ, કૅનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ,, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.
શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ, ધીંગારા, વીરસાવરકર, લાલા હરદયાળ, ઉધમ્સિંહ, રાજા મહેંરપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ.મથુરસિંહ, ખુદા બખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.
અમેરિકામં ક્રાંતિકારી પવૃત્તિઓ ચલાવવા માટે એ.સ. 1907માં કૅલિફોર્નિયામાં ‘ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ’ નામની સંસ્થા સ્થાપવામાં આવી, ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનુંં નામ બદલી ‘ગદર પાર્ટી’ રાખ્યું અને ચાર ભાષાઓમાં ‘ગદ્દર’ નામનું સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. એ ક્રંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયાં.
જર્મનીમાં ચંપક રમણ પિલ્લઈએ ‘હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ’ને રચના કરી. તેણે ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈ.સ 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ‘આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં’ સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.
અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્રપ્રતાપના ‘પ્રમુખ’પદે કામચલૌ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, વગેરે જોડાયાં એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી, વગરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા ઝારને મોકલાવી હતી. તેમાં તેણે રશિયાને ઈંગ્લૅન્ડ સાથે સબંધો તોડી નાંખવા માટે જણાવ્યું હતું.
મ્યાનમારમાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.
વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.
ટુંકનોંધ લખો.
રૉલેટ ઍક્ટ
બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.