Chapter Chosen

ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી – વિધાન સમજાવો. 


ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા ?

વેલેલ્સીની મુખ્ય સુધારાવાદી યોજનાની મુખ્ય શરતો કઈ હતી ? 

ડેલહાઉસીએ ખાલસાનીતિ અંતર્ગત કયાં કયાં રાજ્યો ખાલસા કર્યા ?

Advertisement

પ્લસીના યુદ્ધની ટુંકમાં માહિતી આપો. 


પ્લાસીનું યુદ્ધ ઈ.સ. 1757માં બંગાળના નવાબ સિરાજ-ઉદ્દ-દોલા અને અંગ્રેજો વચ્ચે થયું.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાન રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારીમથક ફૉર્ટ વિલિયમની કિલ્લેબંધી કરવા માંડી. સિરાજ-ઉદ્દ-દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો. આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાંખી. આ સમાચાર નળતાં ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઈવની નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્દ-દૌલાને હરાવી શકે તેમ ન હતાં. તેથી તેમણે સિરાજ-ઉદ્દ-દૌલાને હરાવવાનું કાવતરું ઘડ્યું. રૉબર્ટ ક્લાઈવે નવાબના સેનાપતિ મીરજાફરને બંગાળનો નવાબ બનાવવાને લાલચ આપે તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રૉબર્ટ ક્લાઈવે, બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગત કરે છે એવું બહાનું કાઢી, તેની સામે ઈ.સ. 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજ-ઉદ્દ-દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થતાં તેમાં અંગ્રેજોની જીત થઈ.

મીરજાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ, ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.


Advertisement
Advertisement