CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચૂંટ્ણી લોકશાહીનું મહત્વનું લક્ષણ છે. તેને લોકશાહીનો આધારાસ્તંભ ગણવામાં આવે છે.
લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે.
એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે. નહિ તો તેમને સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે.
એ રીતે ચૂંટણી લોકોને તેમના પ્રતિનિધિઓની કામગીરીનું મુલ્યાંકન કરવાની તક આપે છે.
બંધારણે નક્કી કરેલ લાયકાતો ધરાવતા દરેક નાગરિકને ચૂંટણી લડવાનો અધિકાર છે.
દેશની સામાન્ય ચૂંટણીઓમાં રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો ભાગ લે છે. સ્થાનિક સ્વરાજ્યની ગ્રામીણ અને શહેરી સંસ્થાઓમાં ચૂંટણી દ્વારા જ પ્રતિનિધિઓ પસંદ કરવામાં આવે છે.
રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી રાજકીય જીવન-રેખા ગણાય છે.
લોકશાહી તંત્ર લોકમત અનુસાર ચાલે છે. લોકોની બહુમતી કયા મત કે અભિપ્રાયને પસંદ કરે છે તે ચૂંટણી દ્વાર જ જાણી શકાય છે. ચૂંટણી લોકશાહીને જીવંત રાખે છે.
આમ, ચૂંટણીઓ લોકમત જાણવાનું તેમજ લોકશાહીના સંચાલનનું મહત્વનું માધ્યમ છે. તેથી ચૂંટણીને ‘લોકશાહીની પારાશીશી’ પણ કહેવામાં આવે છે.
ચૂંટણીઓ લોકશાહીની ................ છે.