ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો ?
ભારતમાં સાયમન કમિશનનો વિરોધ :
સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઉતર્યા તે દિવસે સમગ્ર ભારત દેશમાં હડતાલો અને સભા-સરઘસો દ્વારા તેનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો.
ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં દેખાવકારોએ ‘સાયમન પાછો જા’નાં સુત્રોચ્ચાર સાથે કાળા વાવટા ફરકાવ્યા.
દેખાવકારોને વિખેરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ, ટિયરગૅસ, અને ગોલીબારનો ઉપયોગ કરી દમન આચર્યો.
ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ અને ગોવિંદવલ્લભ પંત પર લાઠીચાર્જ થયો. તેમાં ગોવિંદવલ્લભ પંત વિકલાંગ થયા અને જવાહરલાલ ઘાયલ થયા.
લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જની ઈજાઓને કારણે પાછળથી તેમનું અવસાન થયું.