CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે ?
સત્તા વિશ્લેષકોનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજીથી અલગ રાખવાનો સિદ્ધાંત.
સરકારના કાર્યો એકબીજાંથી જુદાં હોય છે. તેથી એ કાર્યોને સરકારના ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં છે. સત્તા વિષ્લેષના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભ્યને કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી બને છે.
આમ, છતાં ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ તે તેની સત્તાનો બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્રને ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યું છે, પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ-સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.