Chapter Chosen

સ્વાતંત્ર્યોત્તર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. 

Advertisement
હૈદરાબાદ અને જુનાગઢમાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં ? સંક્ષેપમાં ચર્ચા કરો.

હૈદરાબાદ : ભારતને સ્વરાજ્ય મળ્યું એ પૂર્વે હૈદરાબાદના નવાબ નિઝામે ભારતીય સંઘોથી સ્વતંત્ર રહેવાની ઈચ્છા પ્રગટ કરી અને પોતાના રાજ્યને 15 ઑગસ્ટના દિવસે સ્વતંત્ર જાહેર કર્યું.

સરદાર પટેલે નિઝામને સમજાવવા તેને સાથે વાટાઘાટો શરૂ કરી, તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છ મુજબ હૈદરબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.

એ સમયે નિઝામના અધિકારીઓએ તેની સેનાએ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચવા માટે ભારત સરકારે હૈદરબાદ સામે 18 સપ્ટેમ્બર, 1948ના રોજ ‘પોલિસ પગલું’ ભરીને તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોના રક્ષણની બંધરી આપવામાં આવી. આ કામગીરીમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્વની ભુમિકા ભજવી હતી.

જુનાગઢ : જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જ જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું હતું. પાકિસ્તાને તેને મંજુર કર્યું.

સરદાર પટેલે જુનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું.

મુંબઈમાં જુનાગઢના નાગરિકોને જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે ‘આરઝી હુકુમત’ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.

જુનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો.

ભારતના સૈન્યએ અને નૌકાદળે જુનાગઢને ચોતરફથી ઘેરી લીધું આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.

ભારત સરકારે 9 નવેમ્બર, 1947ના રોજ જુનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતાં લોકોએ જુનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.

આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.


Advertisement
દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતિ આપો. 

દેશી રાજ્યોને ભારતીય સંઘમાંજોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી ? 

હૈદરાબાદમાં શા માટે ‘પોલિસ પગલું’ભરવામાં આવ્યું હતું ? 

Advertisement