Chapter Chosen

સ્વાતંત્ર્યોત્તર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. 

હૈદરાબાદ અને જુનાગઢમાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં ? સંક્ષેપમાં ચર્ચા કરો.

Advertisement
દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતિ આપો. 

ઈ.સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.

એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યાં. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.

ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. 15 ઑગસ્ટ, 1955 ના રોજ લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન’ કરી ગોવા, દીવ, દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહિદ થયાં.

વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહિ મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો.

18 ડિસેમ્બર, 1961ના રોજ હેઠળ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતનાં લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિ-સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ, ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો.


Advertisement
દેશી રાજ્યોને ભારતીય સંઘમાંજોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી ? 

હૈદરાબાદમાં શા માટે ‘પોલિસ પગલું’ભરવામાં આવ્યું હતું ? 

Advertisement