CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંસાધન એટલે શુ ? તેના પ્રકારો જણાવો.
પૃથ્વિ ઉપર મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને કુદરતી સંસાધન કહે છે. રેતીના સુક્ષ્મકણો , ખડકો, ખનીજો, પાણી, ભુમીસ્વરૂપો, વંનસ્પતિ, પ્રાણીઓ વગેરે કુદરતી સંસાધન છે. એક અર્થમાં સંસાધનો એ પૃથ્વિની સંપત્તિ છે. સંસાધનોના પ્રકાર નીચે મુજબ છે :
1. જળ સંસાધન : વરસાદ અને હિમ વર્ષા દ્વ્રારા પૃથ્વિ સપાટીને પાણી મળે છે. રણ અથવા અર્ધરણ વિસ્તારમાં ઓછું પાણી મળે છે. નૅશનલ વૉટર રિસોર્સિઝ દ્વારા પાણીને મહત્વનું સંસાધન ગણવામાં આવ્યું છે. ઝરણાં, નદીઓ, તળાવો અને સરોવરોનું પાણી ‘સપાટી જળ’ કહેવામાં આવે છે. કૂવા તથા પાતાળ કૂવા દ્વારા મળતા પાણીને ‘ભૂમિગત જળ’ કહે છે. ખેતી, ગૃહ વપરાશ, ઉદ્યોગો, બાંધકામ વગેરે ક્ષેત્રોમાં પાણીનો ઉપયોગ થાય છે. જીવનસૃષ્ટિ માટે પાણી અનિવાર્ય છે. સંસાધન તરીકે સમુદ્વ્ર જળ પણ મહત્વનો ભાગ ભજવે છે.
2. ભૂમી અને જમીનો : ખેતીના ઉપયોગમાં લેવામાં આવતા ભૂમી ભાગને ‘માટી-જમીન’ કહે છે અને જ્યારે તેનો અન્ય ઉપયોગ થતો હોય ત્યારે ‘ભૂમી’ કહે છે. રહેઠાણ, પરિવહન માર્ગો, ઉદ્યોગો, ઉપવનો, જળાશયો વગેરે બનાવવા માટે માનવી ભુમીનો ઉપયોગ કરવામાં આવે છે. પર્વતો, મેદાનો, ઉચ્ચપ્રદેશો કે ખીણપ્રદેશો વગેરે ભૂમિસ્વરૂપો છે.
3. ખનીજો : વૈજ્ઞાનીક શોધો દ્વારા પૃથ્વીના પેટાળમાં રહેલા ઘણા સંસાધન સ્વરૂપે માનવીને પ્રાપ્ત થયા છે. ખનીજ તેલ, ખનીજ કોલસો, લોખંડ, તાંબું, મૅગેનીઝ, સોનું વગેરે મહત્વની ખનીજો છે. ઔદ્યોગીક વિકાસ માટે ખનીજો મહત્વપૂર્ણ છે.