CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?
નાનજીભાઇ યુગાન્ડાની ધરતી પરપોતાની હૈયાસુઝ, સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્વાથી પુષ્કળ ધન કમાયા. યુગાન્ડાની ધરતીએ તેમને ખુબ સમૃદ્વિ આપી અને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. તેઓ યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાય. નાનજીભાઇ મહેતામાં પરોપકાર, વિદ્યાપ્રેમ અને ભારતીય સંસ્કારનો ત્રિવેણીસંગમ હતો. આથી તેમણે પૂર્વ આફ્રિકામાં ઉદાર હાથે દાન આપીને નર્સરી સ્કુલ,આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કુલ, લાયબ્રેરી, ટાઉનહૉલ, નગરઉદ્યાનો, આર્યસમાજનાં મંદિરો અને મહિલામંડળ ભવનોની સ્થાપના કરી. આમ, નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીને આ રીતે અનેક હાથે પાછું વાળીને યુગાન્ડાની ધરતીનું ઋણ અદા કર્યું.
કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?