Chapter Chosen

ભારતની રાષ્ટ્રીય ચળવળો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઉગ્રક્રાંતિકારી ચળવળનો ઉદ્દભવ અને વિકાસ વર્ણવો. 

ટુંકનોંધ લખો.
વિદેશોમાં ક્રંતિકારી ચળવળ 

Advertisement

બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. 


બહિષ્કાર આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં : 1. સ્વદ્દેશી અપનાવવું, 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને, 3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.

1. સ્વદેશી અપનાવવું : બંગભંગ આંદોલનને એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ.

આ ચળવળ બહિષ્કારની પૂરક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજવસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો.

આ ચળવળ બંગાળ સિવાય, પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ.

સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાનાં કારખાનાંઓ શરૂ થયાં. આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્યચળવળને વેગ મળ્યો.

2. વિદેશી માલનો બહિષ્કાર કરવો : સ્વદેશીને ઉતેજન આપવા ‘વિદેશી માલના બહિષ્કાર’નું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની અગ્રહ કરવામાં આવ્યો.

વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ ખુબ વધ્યું.

લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકું, વગેરે ઈંગ્લૅન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો.

બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો.

3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું : રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગનાં અંદોલનનું એક અંગ હતું. બંગભંગ આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો. તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા-કૉલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા.

આંદોલન દરમિયાન સરકારી શિક્ષણ્નો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી.

ઈ.સ. 1907માં બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી.

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો.

સ્વદેશી ચળવળને કારણે ઈંગ્લૅન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ બંધ થઈ ગયું.

ઈંગ્લૅન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સુગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાતમાં ખૂબ જ ઘટાડો થઈ ગયો.

ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ પ્રસરી.

ભરતમાં બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડું વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી.

સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યાં.

બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડ્યું.

તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃવિચારણા કરીને ઈ.સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠન શક્તિનો વિજય થયો.

અંગ્રેજો વિરૂદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો.


Advertisement

ટુંકનોંધ લખો. 
રૉલેટ ઍક્ટ 


અસહકારના આંદોલન કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો. 

Advertisement