CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પ્લસીના યુદ્ધની ટુંકમાં માહિતી આપો.
યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી – વિધાન સમજાવો.
પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપારધંધો ચાલતો હતો. એ સમયે વિદેશી બજારોમાં ભારતના મરી-મસાલાં, તેજાના મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કીમતી ચીજ વસ્તુઓની ખુબ જ માંગ રહેતી હતી. પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો. આ માર્ગમાં તુર્કિસ્તાનમાં આવેલું કૉન્સ્ટેંટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું. ઈ.સ. 1453માં તુર્ક મુસ્લિમોએ કૉન્સ્ટેટિનોપલ જીતી લીધું હતું. તેથી યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો. યુરોપિયન પ્રજાને ભારતના મરી-મસાલા વગર ચાલે તેમ ન હતું. તેથી તેમને ભારત આવવાનો નવો માર્ગ જળમાર્ગ શોધવાની ફરજ પડી.