CBSE
ખોરાકનાં પોષક તત્વોનો કાર્યશક્તિ મેળવવા, વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ જાળવી રાખવા શરીરમાં ઉપયોગ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે.
અમીબામાં પોષણની સમજૂતી નીચે પ્રમાણે છે.
અમીબા એકકોષી પ્રાણી છે. તેમાં પ્રણીસમ પોષણપદ્ધતિ જોવા મળે છે. અમીબામાં ખોરાક મેળવવાની પદ્ધતિને કોષીય ઘનભક્ષણ કહેવાય છે.
અમીબામાં પોષણમાં સમાવિષ્ટ પ્રક્રિયાઓ :
ખોરાક અંતઃગ્રહણ : અમીબા ખોરાકના કણ(ભક્ષ્ય)ની આસપાસ હંગામી ધોરણે ખોટા પગનું નિર્માણ કરી, ખોરાકને સંપૂર્ણપણે આવરી લે છે. ખોટા પગ વડે આવરિત ખોરાક કોષરસમાં પ્રવેશ પામી અન્નધાની બનાવે છે.
પાચન : અમીબામાં કોષાંતરીય પાચન જોવા મળે છે. કોષમાં લાયસોઝોમમાં રહેલા પાચક ઉત્સેચકો દ્વારા અન્નધાનીમાં રહેલા ખોરાકનું પાચન થાય છે.
શોષણ : અન્નધાનીમાંનો પાચિત ખોરાક પ્રસરણ દ્વારા કોષરસમાં સીધેસીધો શોષાય છે.
પરિપાચન : પાચિત ખોરાકનો કેટલોક ભાગ સ્વસન દ્વારા શક્તિ મેળવવામાં વપરાય છે અને બાકી રહેલો ભાગ અમીબામાં વૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાય છે.
મળોત્સર્જન : અન્નધાનીમાં રહેલા અપાચિત શેષ દ્રવ્યો કોષરસસ્તર તોડી કોષમાંથી બહાર ફેંકાય છે.
આમ, અમીબાના પોષણમાં અંતઃગ્રહણ, પાચન, પરિપાચન અને મળૉત્સર્જ જેવી ક્રિયાઓ સંકળાય છે.