જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે ?
જૈવિક ખેતીનાં ઉત્પાદનો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સુગંધ હોય છે. તેમાં ખનીજ, વિટામિન અને જીવનશક્તિ આપતાં તત્ત્વો વધારે હોય છે. તેથી જૈવિક ખેતઉત્પાદનોની માંગ ખુબ જ છે. પરિણામે ખેડૂતોને તેનું આર્થિક વળતર ઘણું મળે છે. આથી જૈવિક ખેતી તરફનું વલણ વધી રહ્યું છે.