રવીન્દ્રનાથ ટાગોરની વર્તાનું તાત્પર્ય જણાવો.
રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો હુકમ ફરમાવે છે. આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે, એમ સમજીને એના રાજ્યના એક માણસને એક માણસને એક વ્યવહારુ ઉપાય સુઝે છે. તે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. આ વાર્તાનું તાત્પર્ય એ છે કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી. પોતાની જાતને સુધારવી.