અલિંગી પ્રજનનની પદ્વતિઓ વિશે લખો.
એકકોષી સજીવોમાંથી બે અથવા વધારે નવા બાળકોષોનું સ્વતંત્ર સજીવ તરીકે સર્જન કરવાની પ્રજનન પદ્વતિને વિભાજન કહે છે.
એકકોષી સજીવ બૅક્ટેરિયા અને પ્રજીવોમાં વિભાજન એ અલિંગી પ્રજનનની સૌથી સરળ પદ્વતિ છે.
વિભાજનના બે પ્રકારો છે : (1) દ્વિભાજન અને (2) બહુભાજન
(1) દ્વિભાજન : તેમાં પિતૃસજીવના કોષનું કોષકેન્દ્ર લંબાઈને બે ભાગમાં વિભાજન પામે છે. ત્યારબાદ કોષરસ પણ બે ભાગમાં વિભાજન પામી, દરેક કોષકેન્દ્ર ફરતે વીંટળાય છે. કોષરસનું વિભાજન સંપૂર્ણ થતાં બે બાળકોષો બને છે. દરેક કોષ પુખ્ત સજીવ તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પેરામીશિયમ.
(2) બહુભાજનતેમાં પિતૃસજીવોમાં એક જ સમયે થતા વિભાજનથી અનેક નવા સજીવો ઉત્પન્ન થાય છે.
પ્રતિકૂળ સંજોગોમાં પિતૃકોષની ફરતે મજબૂત કવચ(કોષ્ઠ)નું નિર્માણ થાય છે. આ કવચની અંદર કોષકેન્દ્ર અનેક વખત વિભાજન પાને છે અને નવાં બાળકોષકેન્દ્રો બનાવે છે અને તેની ફરતે પાતળું પટલ રચાય છે. આમ, કવચની અંદર એક પિતૃકોષમાં અનેક બાળસંતતિ કોષ તરીકે નિર્માણ પામે છે. અનુકૂળ સંજોગોમાં કવચ તૂટે છે અને અનેક બાળકોષો મુક્ત થાય છે. આ દરેક બાળકોષ સ્વતંત્ર સજીવ (પ્રાણી) તરીકે વિકાસ પામે છે. દા. ત., અમીબા, પ્લાઝ્મોડિયમ.
અવખંડન : કેટલાક બહુકોષી સજીવોના શરીર બે કે વધારે ટુકડાઓમાં વિભાજિત થાય છે. આવા દરેક ટુકડાને ખંડ કહે છે. આ ખંડો વૃદ્વિ પામી પરિપક્વ બને છે. પરિપક્વ થતા આ ખંડો સંપૂર્ણ નવા સજીવ તરીકે વિકાસ પામે છે. અલિંગી પ્રજનનની આ પદ્વતિને અવખંડન કહે છે. દા. ત., સ્પાયરોગાયરા.
પુનઃસર્જન :સજીવશરીરનો કોઈ ભાગ અચાનક તૂટી જાય ત્યારે તે તૂટેલા સ્થાને મૂળ ભાગ જેવો જ નવો ભાગ સર્જવાની વિશિષ્ટ ઘટનાને પુનઃસર્જન કહે છે.
ઉદાહરણ : (1) આ ઘટનામાં પ્રાનીઓમાં શરીરનો જે ટુકડો તૂટીને કે કપાઈને દૂર થયો હોય તેને સ્થાને બાકીનો નવો ભાગ સર્જાય છે. ઉપરાંત તૂટેલો ટુકડો પણ તે સિવાયના બાકીના દેહનું સર્જન કરે છે. આવી ઘટનાને પણ પુનઃસર્જન કહે છે. દા.ત., પ્લેનેરિયા, હાઈડ્રા, વાદળી, તારામાછલી વગેરે.
(2) લીલ જેવી તંતુમય વનસ્પતિમાં વારંવાર થતા અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન એ પણ પુનઃસર્જનની જ ઘટના છે. દા. ત., ઑસિલેટોરિયા, સ્પાયરોગાયરા વગેરે.
કલિકાસર્જન :યીસ્ટ જેવી એકકોષી ફૂગ તેમજ વાદળી અને હાઇડ્રા જેવાં બહુકોષી પ્રાણીઓના દેહના એક સ્થાનેથી થોડોક ભાગ ઊપસી આવે અને વૃદ્વિ પામે તેવી રચનાને ‘કલિકા’ કહે છે. આવી કલિકા મુક્ત થઈ સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. યીસ્ટમાં આ રીતે ત્રણથી ચાર વખત પ્રક્રિયા થઈ શૃંખલામય વસાહત રચાય છે. હાઇડ્રામાં વસાહત બનતી નથી, પણ વાદળીમાં વસાહત બને છે.
રક્ષાણાત્મક આવરણ ધરાવતા વનસ્પતિના સૂક્ષ્મ અલિંગી પ્રજાનન એકમને બીજાણુ કહે છે.
બીજાણુ વડે અલિંગી પ્રજનન : મ્યુકરમાં કવકતંતુથી બનેલા દેહમાં બીજાણુધાની વિકસે છે. આ બીજાણુધાનીમાં બીજાણુ નિર્માણ પામે છે. બીજાણુધાની બને છે ત્યારે તેનું આવરણ ફાટે છે.
બીજાણુધાનીમાંથી હવામાં મુક્ત થતા બીજાણુ વિકરણ પામે છે. આ બીજાણુ ભેજવાળી જગ્યાએ ખોરાક પર સ્થાપિત થાય છે. આ અનુકૂળ સ્થિતિમાં બીજાણુ અંકુરણ પામી ફૂગની કવકજાલનું નિર્માણ કરે છે. આ રીતે બીજાણુ અલિંગી પ્રજનન કરે છે.
મ્યુકર ઉપરાંત રાઈઝોપસ, એસ્પરજીલસ, પેનિસિલીયમ ફૂગમાં બીજાણુનિર્માણ પદ્વતિથી અલિંગી પ્રજનન થાય છે.