CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો; પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્રમાં લગભગ ચાર ગણો વધારો થયો છે.
ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.
મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે.
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40% થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.
ભારતમાં નદીઓનાં મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશમાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.
ભારતના સિંચાઈના મુખ્ય ત્રણ માધ્યમો છે. 1. નહેરો, 2. કૂવા અને ટ્યુબવેલ, 3. તળાવો.
તેમાં કૂવા અને ટ્યુબવેલ મુખ્ય માધ્યમો છે. નહેરો બીજા સ્થાને અને તળાવો ત્રીજા સ્થાને છે.
નહેરોનો મહત્તમ વિકાસ ઉત્તરના વિશાળ મેદાનો તથા પૂર્વનાં તટીય મેદાનોમાં આવેલા મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રીકોણપ્રદેશોમાં થયો છે. આ જ વિસ્તારોમા કૂવા અને ટ્યુબવેલ પણ ઘણા છે.
તળાવો દ્વારા થતી સિંચાઈ મુખ્યત્વે પૂર્વ અને દક્ષીણનાં રાજ્યોમાં જોવા મળે છે.