CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
આપણા બંધારણના અનુચ્છેદ 51 (ક)માં ભારતના નાગરિકની મૂળભૂત ફારજો દર્શાવી છે. તેમાં (છ), (જ) અને (ટ) એટલે કે (6), (7) અને (9)માં ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે
નીચેની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મુલ્ય સમજીને તેની જાળવણી કરવી.
દેશનાં જંગલો, તળાવો, નદીઓ, સરોવરો તેમજ વન્ય પશુ-પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું. બધા જીવો પ્રત્યે દયા દાખવવી.
દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું.
હિંસાનો ત્યાગ કરવો.
આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતિક સમાં પ્રચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતાં સ્થળોને કોઈ પણ પ્રકારનું નુકશાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.
ભારતનાં પ્રકૃતિનિર્મિત રમ્ય ભૂમિદ્રશ્યોની શુદ્ધતા, પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે.