Chapter Chosen

ભારતનો વિજ્ઞાન અને ટેકનોલૉજીનો વારસો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વૈદિકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો.

ભારતીય વૌદકશાસ્ત્રના પ્રણેતાઓ મષર્ષી ચરકે, મહર્ષી સુશ્રુતે અને વાગ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અનૂતપૂર્વ સિદ્વિઓ મેળવી હતી.

વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યું છે.

મહાન વૈદકશાસ્ત્રી મહર્ષી સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્યચિકિત્સા માટેનાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.

પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.

ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઢુ અને મૂત્રાશયનાં ઑપરેશનો કરતા, તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂબ કરતા.

તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા.

તેઓ તુટેલા કાન કે નાકને સ્થને નવાં નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટીક સર્જરી’ જાણતા હતા.
 
તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તેઓ ચકાસતા નહી.

તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.

તેઓ રોગનાં કારણો અને ચોહનોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.

પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.

વૈદકશાસ્ત્રના મહાન લેખક વાગ્ભટ્ટે ‘અષ્ટાંગહ્રદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.


Advertisement
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.

પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.

ટુંક નોંધ લખો: પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર

Advertisement