CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્વતિસર અને ઉંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.
ગ્રહો પરથી રાશિ-ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને ‘અજરભર’ કહેતા હતા.
ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
બ્રહ્મગુપ્ત નામના વિજ્ઞાનિકે ‘બ્રહ્મસિદ્વાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.