CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી નીચે પ્રમાણે છે :
વસ્તીનિયંત્રણ માટે ભારત સરકારે વસ્તીનિયમન નીતિ અને કુટુંબ કલ્યાણનો સ્વૈચ્છિક કાર્યક્રમ અમલમાં મૂક્યાં છે.
બાળકોને વિવિધ રોગોથી બચાવવા માટે બાળ – રસીકરણ કાર્યક્રમ અન્વયે તેમને જુદી જુદી રસીઓ આપવામાં આવે છે. જેમ કે, પોલિયો માટે ઓ. વી. પી, ક્ષય માટે બી. સી. જી, ઝેરી કમળા માટે હીપેટાઈટિસ – બી, ડિફ્થેરિયા – મોટી ઉધરસ – ધનપુર માટે ડી. પી. ટી. આ ઉપરાંત, બાળકોને ઓરી, અછબડા અને ટાઈફૉઈડ વિરોધી રસીઓ આપવામાં આવે છે.
આયોડિન, વિટામિન્સ અને લોહતત્ત્વની ઊણપ માટે કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
દેશમાંથી પ્લેગ, શીતળા અને પોલિયો જેવા રોગો નિર્મૂળ કરી શકાયા છે.
ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોઢ, ક્ષય, મધુપ્રમેહ (ડાયાબિટીસ), એઈડ્સ જેવા રોગો પર નિયંત્રણ લાવી શકાયું છે.
ભારત સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ કાર્યક્રમોને લીધે જન્મદર, મૃત્યુદર અને બાળ – મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
દેશમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે.
દેશના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સારવાર કેન્દ્રો, જાહેર આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલો દ્વારા લોકોને સઘન તબીબી સારવાર આપવામાં આવે છે.
‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.