CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કે.કા. શાસ્ત્રીએ પોતાની આખી જીંદગી અધ્યનકાર્ય, સંશોધન – સંપાદન – અનુવાદ તથા વિવેચનકાર્ય અને વિવિધ પ્રકારના કોષ તૈયાર કરવામાં વિતાવી છે. એમની વિદ્ધત પ્રતિભા, સરસ્વતસાધના તથા એમની ઉચ્ચશિક્ષણ્ની લગભગ 52 વર્ષની અધ્યપનસેવનો લાભ એસ.એન.ડી.ટી. યુનિવસીટી અને એલ.ડી. ઈન્સ્ટટ્યૂટ ઑફ ઈન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમજ ગુજરાતી ભાષા-સાહિત્યને મળતો રહ્યો. એમની અધ્યાપન સેવાને ઉમેરતા એમનો લગભગ 65 વર્ષનો વિદ્યાકિય સાધના કાળ ગણાય. 100 વર્ષની વયે પણ તેઓ સંશોધન – સંપાદનકાર્યમાં એતલા જ વ્યસ્ત હતા.
એમની સારસ્વતસાધનને અખિલ ભારતીય સંમેલને ‘વિદ્યાવાચસ્પતિ’ની ઉપાધિ અને ભારત સરકારે ‘પદ્મશ્રી’ નો ખિતાબ આપીને એમને સન્માન્યા હતા. ગુજરાત સાહિત્ય સભાએ એમને રણજિતરામ સુવર્ણચંદ્રક (1952) અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ‘ડી.લિટ.’ની પદવી આપીને તમનું બહુમાન કર્યું હતું. એમને આજ સુધીમા6 15 પદવીઓ, 10 ઍવોર્ડ અને 38 જેટલા માનપત્રો મળ્યં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ પણ એમણે શોભાવ્યું હતું. ‘ભાશા ભાસ્કર’, ધર્મભાસ્કર’, ‘ભારતમાર્તડ’, ‘ગુર્જરરત્ન’, ‘મહમહિમોપાધ્યાય’ જેવાં અનેક ગૌરવ-બિરુદો એમને આપવામાં આવ્યાં હતાં.
કે.કા. શાસ્ત્રીની અદ્વિતીય સારસ્વત ઉપાસના, આજીવન વિદ્યાકિય સેવા અને વિદ્યાપ્રિતિ જોતાં એમની પાછળ પદવીઓ, ખિતાબો અને સન્માનો દોડતાં આવે એ સહજ છે.