CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શાસ્ત્રીજી સરલ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિઃસ્વાર્થ સેવાભાવના, સાહિત્યપ્રીતિ, વફાદારી અને લગની જોઈને એમના કાર્યમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દીવેટિયા, કનૈયાલાલ મુનશી, બલવંતરાય ઠાકોરથી માંડીને રામનારયણ વિ. પાઠક, રસિકલાલ છે. પરીખ, ચુનિલાલ વ. શાહ, હિરાલાલ પારેખ સુધીના અનેક સર્જકો – વિદ્ધાનોનો એમને પ્રેમ અને સહકાર મળ્યા હતા. એ સુના પ્રેમપાત્ર બન્યા હતા.
શાસ્ત્રીજી ખરેખર અજાતશત્રુ વિદ્ધાન હતા. આથી તો સૌએ એમની સારસ્વતસેવાઓને સદ્દભાવપૂર્વક બિરદાવી હતી.