CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શ્રી કે.કા.શાસ્ત્રીએ એમની 21 વર્ષની ઉંમરે વલ્લભાચાર્યજીના શોડાશગ્રંથોનો અનુવાદ કર્યો. શ્રીમદભાગવત જેવા ભક્તિપુરાણના દશમસ્કંધનું સંશોશન – સંપાદન કર્યું.
એમનો શૈક્ષનિક અભ્યાસ તો ફક્ત મૅટ્રિક સુધીનો જ હતો પણ એમની આંતરસૂઝ, સાહિત્યપ્રીતી અને સરસ્વતીની અખંડ સાધનાને કારણે એમણે પોતાનું જીવન અધ્યયન અને અધ્યાપન કાર્ય, સંશોધન – સંપાદન કાર્ય, કોશકાર્ય અને અનુવાદ તથા વિવેચનકાર્યમાં વિતાવ્યું. એઓ આજીવન રસરૂપા સરસ્વતીની સેવા કરતા રહ્યા. અત્યાર સુધીમાં શાસ્ત્રીજી પાસેથી આશરે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધનોલેખો મળ્યા છે. કે.કા. શાસ્ત્રીએ ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંસ્કૃતિની તથા રસેશ્વર શ્રીકૃષ્ણની બહુમુલ્ય સેવા કરી છે. એમની સારસ્વત પ્રતિભાને કારણે ગુજરાતના અનેક સર્જકો તથા વિદ્ધાનોએ એમની સારસ્વતસેવાનો સદાભાવપૂર્વક સ્વીકાર કર્યો છે.
શ્રી કે.કા. શાસ્ત્રીએ મહાભારતમાંથી ‘ભારતસંહિતા’ અને તેમાંથી 8800 શ્ર્લોકોની ‘જયસંહિતા’ તારવી આપી. તેમણે શ્રીમદભાગવદગીતાઅમાંથી 101 શ્લોકોની ‘ગીતા-શતસ્લોકી’ પણ તૈયાર કરી. આમ, શ્રી કે.કા. શાસ્ત્રીએ 100 વર્ષની વયે દ્ર્ઢ આસન વાળીને રસેશ્વર શ્રીકૃષ્ણની અને રસરૂપની સંનિષ્ઠાથી સેવા કરી રહ્યા હતા. સરસ્વતીની સેવા કરવામાં શાસ્ત્રીજી સાત્ત્વિક આનંદ અને જીવનની સાર્થકતા અનુભવતા અહતા. કોઈ પણ વ્યક્તિને સારસ્વતયજ્ઞમાં સહાય કરવી અને માર્ગદર્શન આપવું તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય સમજતા હતા.