CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ચીભડાં ઉગાડવા ઝમકુ અને જમનને કરવી પડતી મહેનત ક્યારે સાંભરી આવી ?
ઝમકુના અંતરમાં દર્દ ક્યારે થયું ?
‘બુરાઈના દ્વાર પરથી’ લોકકથા ગરીબોની પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતો વિશેની કથા છે. ઝમકુના શબ્દોમાં કહીએ તો ‘હજારુંના રળનાર અને જહારુંના ધુવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાની વાતમાં પૈસાની ગણતરી છોડતાં નથી,’ ‘ગરીબોને ચાર-છ આના ખટાવતાં શું કામ બીએ છે ?’ હાથ-પગ અને ગળામાં સોનાનાં આભૂસણ, પગમાં ચંપલ, અંગ પર ઝીણો સુંદર સાડલો, નાની શી કોથળીમાં ઠીકઠીક પૈસા છતાં આ ગરીબ પાસે ચીભડાં લેતી વખતે નમતું જોખાવીને વધારે પડાવી લેવાની, ઉપરથી પોતાના છોકરા માટે ચીભડાની એક ચીર મફતમાં પડાવી લેવાની હીન મનોવૃત્તિ અહીં આબેહૂબ છતી થઈ છે. ‘લાવ ચીર દેછ જે ? નીકર આ લે તારું ચીભડું પાછું.’ એવી ધમકી આપતી શ્રીમંત બાઈ ચીભડું વેચવાની ઝમકુની મજબૂરી છે. એટલે ચીર દેવી આપવી પડે છે; પરંતુ કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ તેને થાય છે. આવી જ સંવેદનહીનતા દર્શાવનાર ખેસધારી વેપારી ઝમકુ પાસેથી આનાનાં ત્રણ શ્રેમાં આખોય ‘લોટ’ પડાવી લેવો છે. આથી સુમનલાલને ઈશારત કરીને બોલાવી લે છે અને એને કહે છે કે તેઓ થાકેલાં હોવાથી, સાંજ પડતાં બધાં ચીભડાં મફતના ભાવે આપીને જતાં રહેશે. આનાનાં ત્રણ શેર લેખે આખોય ‘લોટ’ લઈને બંને વહેંચી લઈશું, પણ જમન-ઝમકુ સમજી ગયા : “આપણું ઘરાક ટાળ્યું ઓલ્યે શેઠીએ.” આ શબ્દોમાં તેમનાં હૈયાની ‘હાય’ સંભળાય છે. આમ, આ લોકકથામાં શ્રીમંતોની શોષણખોર, સંકુચિત, સ્વાર્થી અને સંવેદહીન મનોવૃત્તિ તેમની વિકૃતિને છતી કરે છે.