CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ ?
અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા ?
‘જુગલ જુગારી’ નાટકની નાયિકા ‘લલિતા’ની ભૂમિકા જયશંકરને ભજવવાની હતી. જયશંકર એ પાત્ર ભજવતી વખતે એમાં ખૂબ તરબોળ થઈ ગયા. નાટકનો પ્રસંગ આ પ્રમાણેનો હતો : એક સમયે જે પતિ પોતાની પત્નીને ખૂબ પ્રમ કરતો હતો. તે જ પતિ જુગારના રવાડે ચડી ગયો. તે પત્નીની સામે જોતો પણ નહોતો. પતિનીને ફોસલાવી-મનાવીને એના બાળકના નામે મૂકેલા પૈસા પડાવી લેવા એની પાસે સહી કરાવી લેતો. આ પ્રસંગની જયશંકર પર એટલી ઘેરી અસર પડી કે તેમણે ‘લલિતા’ની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ આવી ગયો અને સરળ વાચિક અભિનય કરતાં તેમની આંખોમાંથી દડ દડ આંસુ સરવા માંડ્યાં અને નાટકના છેલ્લા શબ્દો ઉચ્ચારવાનું એમને મુશ્કેલ થઈ પડ્યું.