અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા ?
અરીસાની એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનમાં સૌપ્રથમ પ્રશ્ન ઉઠ્યો : ‘એ સૌભાગ્યસુંદરી કે કુમસુંદરી ?’ અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો જાણે તેમને કહી રહ્યો હતો કે, “આ જયશંકર નથી. આ તો લજ્જાસ્જીલ ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિન્ય, એ કામણ. શરીરનાં અંગેઅંગમાં મધુઅર ઝણઝણાટી થઈ આવી, ઘડીભર એમ થયું કે હું પુરુષ નથી જ ...... શરૂઆતમાં મને સ્ત્રી થતાં સહજ સંકોચ થયો હતો. હવે એમ પ્રતીતિ થઈ કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને ...... મારામાં રહેલાં નટને સાકાર થવામાં યારી આપી છે.” અરીસાની નવયૌવનનાની છબી જોયા પછી જયશંકરના આ મનોભાવો હતા.