જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ ?
જયશંકરે અરીસામા6 જાણી પોતાનામાંથી ચૂટી પડેલી એક સુંદર નવયૌવનાને જોઈ. તેનાં અંગો ઘાટીલા છે. તેનાં મદભર અંગોમાંથી યૌવન નીતરી રહ્યું છે. તેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેંકી રહ્યું છે. તેની આંખોમાંથી સ્ત્રીસહજ ભાવો ઉભરાયા કરે છે. તેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. તે પુરુષ નથી, પણ માત્ર એક સ્ત્રી જ છે.