CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જયશંકરે અરીસામાં કેવી છબી જોઈ ?
અરીસામાં એક નવયૌવનાની છબી જોયા પછી જયશંકરના મનોભાવો કેવા હતા ?
જય શંકરના મનમાં ‘લલિતા’ની ભૂમિકા ભજવવા માટે કેટલીક ગૂંચ કેમ ઉકેલવી એના વિચારમાં હતા. એવામાં તેમણે લલિતાની ભૂમિકાનો આદર્શ મળી અવ્યો. બાબુભાઈ અને કૃષ્ણાબહેને જ્યારે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો ત્યારે એ સત્કાર સ્વીકારતાં એ કન્યાના મુખ પર શરમના શેરડા પડ્યાં. તેના મુખ પર હાસ્ય હતું છતાં તેણે ઠાવકાપણું પણ સાચવ્યું. આ દ્ર્શ્ય જોતાં જ જયશંકરની ‘જુગલ જુગારી’ની ‘લલિતા’ના ‘જુગલ’ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગાઈ. એ કન્યાની વસ્ત્ર પહેરવાની સપ્રમાણ અને છટાદાર અદા જોઈને તેમને ‘ લલિતા’ના પોશાકનો ઉકેલ પણ મળી ગયો. એ કન્યા પાસેથી એનાં પોલકાં સીવનાર દરજીનું ઠામઠેકાણું મેળવી લીધું. આમ, જયશંકરે લલિતાની ભૂમિકા ભજવતાં પહેલાં આ કન્યાનું સૂક્ષ્મ અવલોકન કર્યું. સંગોપાંગ એના જેવું જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ – આ અવલોકનનું જયશંકરને ‘લલિત’ની ભુમિકામાં ઉતારવામાં કામ લાગ્યું. આ રીતે જયશંકરે ‘લલિતા’ની ભૂમિકા ભજવતાં પહેલા ઘણી તૈયારી કરી લીધી.