CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવશરીરનાં બધાં જ અંગો કોષોના બનેલા હોય છે. દરેક કોષોમાં ‘કેષકેન્દ્ર’ અને કોષકેન્દ્રમાં રંગસુત્રો આવેલાં હોય છે.
રંગસુત્રો હંમેશા જોડમાં હોય છે. સામાન્ય રીતે માનવીના કોષોમાં કુલ 46 રંગસુત્રો એટલે જે 23 જોડ રંગસુત્રોની હોય છે.
શક્તિશાળી માઈક્રોસ્કોપથી રંગસુત્રોને નિહાળવામાં આવે તો તે મણકાઓની હળમાળા જેવાં દેખાય છે. આ રંગસુત્રોમાં સૂક્ષ્મ કણો રહેલા હોય છે, જે ‘જનીનતત્વો’ કહેવાય છે.
જનીનતત્વો DNA નામના રસાયણનાં બનેલાં હોય છે. DNAનું મુખ્ય કાર્ય પ્રોટીનનું ઉત્પાદન કરવાનું છે.
માનવીના શરીરના કોષોમાં અંંગસુત્રોની 23 જોડ હોય છે, પરંતુ પ્રજનન કોષો તેમાં અપવાદ છે.
મહિલા અને પુરુષોના પ્રજનન કોષમાં રંંગસુત્રોની 23 જોડ નહિ, પરંતુ માત્ર 23 જ રંગસુત્રો હોય છે.
પુરુષના શુક્રાણુ કે શુક્રકોષનું 23મું રંગસુત્ર લાંબું X પ્રકારનું અથવા તેનાથી ભાગ જેટલું નાનું Y પ્રકારનું હોય છે. જ્યારે મહિલા અંડકોષમાં 23મું રંગસુત્ર હંમેશા લાંબું X પ્રકારનું જ હોય છે.
માતા અને પિતાની 23મી જોડીમાંનાં બે રંગસુત્રોમાંથી ગમેતે એક રંગસુત્ર જ બાળકને મળે છે. વ્યક્તિને મળેલી રંગસુત્રોની જોડમાં બંને X હોય, તો XX જોડ તૈયાર થવાથી જન્મનાર બાળક છોકરી હોય છે. અને જો XY જોડ તૈયાર થાય, તો જન્મનાર બાળક છોકરો હોય છે.
અનુવંશની પ્રક્રિયા તપસતાં જણાશે કે બાળકની જાતી નક્કી કરવામાં પુરુષના પ્રજનન કોષનું રંગસુત્ર નિર્ણાયક બને છે. મહિલા તરફથી તો હંમેશા દરેક બાળકને X રંગસુત્ર જ મળે છે. જો બાળકને પુરુષનું Y રંગસુત્ર મળે, તો જ છોકરો જન્મી શકે છે. જો પુરુષનું X રંગસુત્ર મળે, તો છોકરી જન્મે છે.
‘જિનેટાઈપ’ એટલે શું ?