Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
ટુનકનોંધ લખો. 
જનીનતત્વો 

‘અનુવંશ’ એટલે જૈવિય વારસો. જૈવિય વારસો જનીનતત્વોને કારણે હોય છે તથા તે માતા અને પિતા બંને પાસેથી મળે છે.

પુરુષના એક શુક્રાણુનાં 23 રંગસુત્રો અને મહિલાબીજનાં 23 રંગસુત્રોની જોડી બને છે. જનીનતત્વો પણ હંમેશા જોડમાં જોવા મળે છે. જનીનતત્વો શારીરિક અને માનસિક લક્ષણોનાં વારસાનાં વાહકો છે.

ચેતાતંત્રના વિકાસમાં જનીનતત્વો મહત્વનો ભાગ ભજવે છે. માતા-પિતા તરફથી બાળકને વારસામાં મળેલા જનીનતત્વોના સમૂહને ‘જીનોટાઈપ’ કહેવાય છે.

જનીનતત્વો વારસાનાં નિર્ણાયકો છે. શારીરિક લક્ષણો, શરીરનું બંધારણ, ગ્રંથિઓનું સામર્થ્ય, ચામડીનો રંગ, આંખોનો રંગ, વાળબો રંગ વગેરે બાબતો જનીંતત્વો દ્વારા નક્કી થાય છે. આ અવલોકિત લક્ષણોના સમૂહને ‘ફિનોટાઈપ’ કહેવાય છે.

માનસિક શક્તિઓ કે માનસિક વિકૃતિઓ જેવાં વાર્તનિક લક્ષણોના જૈવિય આધારોની સમજૂતી આપતા શાસ્ત્રને ‘વાર્તનિક જનીનશાસ્ત્ર’ કહેવામાં આવે છે.

પુરુષના અસંખ્ય શુક્રાણુઓ પૈકીનો કયો શુક્રાણુ મહિલાબીજ સાથે સંયોજન પામશે તે નક્કી હોતું નથી. જુદા જુદા શુક્રાણુમાં જનીનતત્વો જુદા જુદા હોય છે. તેથી જ એક કુટુંબના ભાઈભાંડુઓનો વારસો સમાન હોતો નથી. સમાન માતા-પિતા પાસેથી જનીનતત્વો મળવા છતાં જનીનતત્વોની જોડનું સંયોજન દરેક બાળકમાં જુદું જુદું હોય છે. આથી એક જ માતા-પિતાનાં સંતાનોમાં કેટલીક સમાનતાઓ હોવા છતાં તેઓ તદ્દન સરખાં નથી હોતાંં.

દરેક વ્યક્તિ પોતાને મળેલ જનીનતત્વોમાં કોઈ પણ જાતનો ઉમેરો કર્યા વગર તે પોતાનાં બાળકોને આપતી હોય છે. આમ, માતા-પિતાને અગાઉની પેઢીઓ દ્વારા મળેલ વારસો આ તફાવતો માટે જવાબદાર હોય છે.

સમાન વારસો મળવા છતાં બાળકો વર્તનની બાબતમાં તેમનાં માતા-પિતા કરતાં જુદા પડતાં હોય છે. આ તફાવતનું કારણ જનીનતત્વો ઉપરાંત માતા-પિતા કરતાં જુદા પર્યાવરણમાં બાળકોનો ઉછેર પણ હોઈ શકે. વ્યક્તિનો જૈવિય વારસો પણ અગત્યની ભૂમિકા પૂરી પાડે છે. દા.ત. ભારતના કેટલાક સમાજોમાં છોકરા અને છોકરીમાં ઉછેરમાં તફાવત જોવા મળે છે. પરિણામે વ્યક્તિની વર્તન ભાતો પણ જાતિ પ્રમાણે જુદી જુદી હોય છે.


Advertisement
ટુનકનોંધ લખો. 
શારીરિક ચેતાતંત્ર  

એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ સમજાવો. 

‘જિનેટાઈપ’ એટલે શું ?


ટુનકનોંધ લખો. 
રંગસુત્રો

Advertisement