CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભૌગોલિક પર્યાવરણ કુદરતે આપ્યું છે, જ્યારે સામાજિક પર્યાવરણ માનવી દ્વારા રચાયેલું છે.
પર્યાવરણના પ્રકારો :
1 પ્રાકૃતિક પર્યાવરણ :
પ્રાકૃતિક પ્રયાવરણમાં સૂર્ય, ચંદ્વ, પૃથ્વી, ગ્રહો, ઉપગ્રહો, જળ અને વાયુ વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક પર્યાવરણની આ વસ્તુઓની માનવીની શક્તિ કે બુદ્વિ પર અસર પડતી નથી.
2 સામાજિક પર્યાવરણ :
સામાજિક પર્યાવરણની રચના સમાજના સભ્યો દ્વારા થાય છે તે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધી જોડાયેલા રહે છે.
3 સાંસ્કૃતિક પર્યાવરણ : સાંસ્કૃતિક પર્યાવરણમાં રીત, રિવાજ, પરંપરા, માન્યતા, ફૅશન વગેરેનો સમાવેશ થાય છે. તેની સમજ માનવીને સમાજીકરણની પ્રક્રિયા દ્વારા થાય છે. સમાજીકરણ દરમિયાન વ્યક્તિ વર્તનવ્યવહારની રીતોનું જ્ઞાન મેળવે છે.
ઓગર્બન અને નિમકોફના મતે પર્યાવરણના બે પ્રકારો છે : (1) પ્રાકૃતિક પર્યાવરણ અને (2) માનવસર્જિત પર્યાવરણ.
સમાજશાસ્ત્રી મેકાઇવરના મત પ્રમાણે પ્રયાવરણના ત્રણ પ્રકાર છે જે નીચે મુજબ છે :
1 ભૌતિક પર્યાવરણ : જેમાં સૂર્ય, ચંદ્વ, પૃથ્વી, સાગર, મહાસાગર વગેરે ભૌતિક વસ્તુઓનો સમાવેશ થાય છે.
2 આર્થિક પર્યાવરણ : જેમાં મકાન, રસ્તા, રેલવે, યંત્રો વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.
3 સામાજિક પર્યાવરણ: જેમાં રીત, રિવાજ, પરંપરા, માન્યતા, ફૅશન વગેરે સામાજિક બાબતોનો સમાવેશ થાય છે.
સમાજશાસ્ત્રીય દ્વષ્ટિએ પર્યાવરણનું સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે અને તેના આધારે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા જોવા મળે છે. દા. ત., માટી કે વરસાદની ઉપયોગિતા જેટલી ખેડુતને હોય તેટલી ઉદ્યોગપતિને હોતી નથી. આ જ પ્રમાણે ગ્રામીણ સમુદાયનું સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ તથા શહેરી સમુદાયાનું સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ અલગ અલગ હોય છે.