CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમૂહ માધ્યમો :
સમુહ સંચાર માધ્યમોમાં રેડિયો, ટેલિવિઝન, ચલચિત્રો, અખબારો, સામયિકો, સાહિત્ય, મુદ્વ્રિત માધ્યમો અને ઇન્ટરનેટ જેવા માધ્યમોનો સમાવેશ થાય છે.
આધુનિક સમયમાં આ સાધનોએ માહિતી અને મનોરંજન પ્રાપ્ત કરવાની ત્વરિત અને અસરકારક સુવિધા પૂરી પાડી છે. જેને આપણે ‘પ્રયત્નનાં માધ્યમો’ તરીકે ઓળખીએ છીએ.
આ માધ્યમોની સામગ્રી સમાજના વિશાળ સમુદાય સુધી એકસાથે પહોંચી શકે છે. આ માહિતી બાળકોથી શરૂ કરીને વૃદ્વો સુધી સૌના જ્ઞાનમાં વધારો કરે છે.
આધુનિક સમાજ આ દ્વારા મંતવ્યો, મતમતાંતરો, માન્યતાઓ, આચારવિચારો, આદર્શો વગેરે લોકો સમક્ષ રજૂ કરીને તેમનું સામાજિકીકરણ કરી શકે છે. મુદ્વિત માધ્યમો સાક્ષર વ્યક્તિઓને અસર કરે છે, જ્યારે દ્વશ્ય-શ્રાવ્ય માધ્યમો સાક્ષર, નિરક્ષર અને દુર દુર નિવાસ કરતા લોકોને પણ અસર કરે છે.
આવા માધ્યમો એક મોટી જનસંખ્યા વચ્ચે ઝડપી વિચારવિનિમયની તકો પૂરી પાડે છે અને જાહેર લોકમત કેળવીને તેમને સામાજિક આંદોલનો માટે તૈયાર કરે છે.
સંચાર માધ્યમો દ્વારા લોકોનાં રાજકીય, આર્થિક, ધાર્મિક તથા નૈતિક વલણો અને વર્તન ઉપર ઘણી અસર પાડી શકાય છે.
ટેલિવિઝનના કાર્યક્રમો મનોરંજન સાથે સાથે જ્ઞાન આપે છે અને તેના દ્વારા રજૂ થયેલાં માહિતી, પ્રસંગો, વર્તન, વ્યવહારો, વગેરે ઘણા લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકો ટેવિવિઝનના કાર્યક્રમોથી વિશેષ પ્રભાવિત હોય છે.
ટેલિવિઝન દ્વારા પ્રસારિત થતી જાહેરાતો વ્યક્તિઓમે આધુનિક યુગમાં ભિન્ન ભિન્ન વસ્તુઓ અને સેવાઓના ગ્રાહકો બનાવે છે.
વર્તમાન સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સામાજિકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
સમૂહ સંચાર માધ્યમો સમાજમાં રહેતા જુદા જુદા સમૂહો, સંસ્કૃતિઓ, સમસ્યાઓ, પ્રક્રિયાઓ વગેરે અંગેની માહિતી અને સમજ પુરાં પાડે છે.