CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સમાજ્શાસ્ત્રનો એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકેનો ઉદભવ 19 મી સદીના પૂર્વાધર્માં થયો હતો.
સમાજશાસ્ત્રના ઉદભવ પૂર્વે સમાજના અભ્યાસની શરૂઆત ગ્રીક ચિંતક પ્લેટો અને એરિસ્ટોટલનાં લખાણોથી થઈ હતી.
પ્લેટો અને એરિસ્ટોલના મત મુજબ, “સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે અને તે સામાજિક અસમાનતા અને શ્રમવિભાજન પર આધારિત છે.”
ઇબ્ન ખાલ્દુને આરબ જગતની ભટકતી ટોળોએ અને સ્થાયી ટોળીઓના અભ્યાસની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખાવી હતી અને
સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજુ કર્યો હતો.
આ ઉપરાંત થોમસ હૉબ્સ, જ્હૉન લોક, વિકો, મોન્તેસ્ક્યુ, રૂસો સેંટ સીમોન વગેરે વિદ્વાનોએ માનવસમાજ અને સામાજિક વ્યવસ્થા અંગે પોતાના અભ્યાસો રજુ કર્યા હતા.